તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા નવા કાર્યકર્તાઓના આવકાર સાથે કારોબારી બેઠક સંપન


SHARE











મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા નવા કાર્યકર્તાઓના આવકાર સાથે કારોબારી બેઠક સંપન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-મોરબીના સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં સતત અવિરત કાર્યરત છે ઉપરાંત મહાસંઘ દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો થઈ રહ્યા છે પ્રવર્તમાન સમયમાં શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સંગઠનની અતિ આવશ્યકતા છે,સંગઠન હશે તો જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલ આવશે એ નિર્વિવાદ હકીકત છે હાલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો વ્યાપ વધતો જાય છે તાલુકા જિલ્લા, રાજ્ય અને અખિલ ભારતીય સ્તરે આ સંગઠનનો માન, મોભો અને મહત્વ દિન પ્રતિદિન ખુબજ વધતો જાય છે

ત્યારે સંગઠનને શિક્ષકોની સેવાની, બુદ્ધિ કૌશલ્ય,કુનેહની ખુબજ જરૂર હોય શિક્ષકોને સંગઠન જોડાવા માટે આહવાન કરેલ હોય મોરબી જિલ્લાના તમામ શિક્ષક મિત્રોને એમના સ્નેહીજનો સાથે સંગઠનમાં જોડાવા અને સંગઠનને મજબૂત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો મહાસંઘમાં સામેલ થવા માટે તૈયારી દર્શાવેલ હોય એમને સહર્ષ આવકારવાના ભાગરૂપે એક અગત્યની કારોબારી બેઠક સરસ્વતી શિશુમંદિર શક્ત શનાળા ખાતે યોજાઈ ગઈ જેમાં પરેશભાઈ પટેલ સહ સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત તેમજ રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ-મોરબી ઉપસ્થિત રહી નવા કાર્યકર્તાઓ પ્રવિણભાઈ ધોળું હળવદ તાલુકાના શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ, સંદિપભાઈ આદ્રોજા મોરબી તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સંદિપભાઈ આદ્રોજા, હર્ષદભાઈ મારવણીયા વગેરે શિક્ષક સંઘના પુર્વ કાર્યકર્તાઓ હોદેદારો તેમજ સભ્યો સહિત પચાસ જેટલા શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા તરીકે જોડ્યા હતા.

જિલ્લા કારોબારીમાં પરેશભાઈ પટેલ દ્વારા નવા કાર્યકર્તાઓને પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા,આવકાર્યા હતા,દિનેશભાઈ વડસોલાએ એજન્ડા મુજબની કાર્યવાહીની રજૂ કરતા મહાસંઘ દ્વારા રાષ્ટ્ર હિત, શિક્ષક હિત, સમાજમાં હિતમાં થયેલા કાર્યોની વિગતો આપી હતી,રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ મોરબી દ્વારા સંગઠનની કાર્યપ્રણાલી વિશે વાતો કરી હતી,પરેશભાઈ પટેલે પ્રાંત અને અખિલ ભારતીય સ્તરે થતા કાર્યોની વિગતે વાત કરી હતી, આભાર દર્શન હરદેવભાઈ કાનગડ ઉપાધ્યક્ષ જિલ્લા ટિમ અને અધ્યક્ષ માળીયા ટીમે કર્યું હતું,કલ્યાણ મંત્ર હિતેશભાઈ પાંચોટીયાએ કર્યું હતું. એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News