બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન


SHARE











મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા ૧૦ ને શુકવારથી તા.૧૮ ને મહા શિવરાત્રી સુધી શિવ મહાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ બપોરના બે થી છ વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિરે ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથામાં જુદાજુદા પ્રસંગોને ઉજવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને કથાકાર રતનેશ્વરીબેન તેની આગામી શૈલીમાં શ્રોતાઓને શિવકથાનું રસપાન કરાવશે. અને શિવ કથામાં કથાનું મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય, દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા અને જ્યોતિલિંગનો મહિમા શ્રોતાઓને સંભળાવવામાં આવશે અને તા ૧૮ ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે






Latest News