મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે


SHARE











મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે

ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી સંલગ્ન મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે તા ૨૮ થી બે દિવાસીય ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે. અને આ પાટોત્સવમાં મહાયજ્ઞની સાથે સાથે ત્રણ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૨૮ ના રોજ બપોરે ૩ થી ૫ કલાકે ૧૭થી ૨૧ વર્ષની યુવતીઓ માટે સંમેલન રાખવામા આવ્યું છે જેમાં વક્તા તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના નિવૃત પ્રાચાર્ય કનુભાઈ કરકર ઉપસ્થિત અને આ તકે અતિથિ વિશેષ તરીકે રંજનબેન મકવાણા, કંચનબેન ભૂત અને પી.એચ. લખધીરકા ઉપસ્થિત રહેશે.

ત્યાર બાદ તા ૨૮ એ રાતે ૯ કલાકે વક્તા કનુભાઈ કરકરની હાજરીમાં સફળ જીવનનો આધાર-શ્રેષ્ઠ ચિંતન વિષય પર સમાજ શ્રેષ્ઠીઓનું સંમેલન યોજાશે આ કાર્યક્રમમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેવાના છે અને તા ૨૯ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં કનુભાઈ કરકર, કર્તવ્ય જીવદયા કેન્દ્રના પ્રમુખ વિશ્વભાઈ કોરીંગા, યુવા આર્મી ગ્રુપના પ્રમુખ પીયુષભાઈ બોપલીયા હાજર રહેશે






Latest News