ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ


SHARE











મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો તેમજ ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજના ધંધા કરનારાઓને કાં તો ધંધા બંધ કરો અથવા તો ગામ છોડી દો તેઓ પોલીસ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે દરમ્યાન આજે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તે ઉપરાંત વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પોતાની મિલકતો ગુમાવનારા લોકોએ રડતી આંખોએ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વ્યાજખોરના ચંગુલમાંથી છોડવા માટે કહ્યું હતું જેથી મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી તથા રેન્જના આઈજી અશોક યાદવે વ્યાજ ના ધંધા કરનારાઓને સાનમાં સમજી જવાનું માટે ઈશારો આપતા કહ્યું હતું કે કાં તો વ્યાજના ધંધા બંધ કરો અને નહીં તો ગામ છોડી દો કેમ કે ફરીયાદ આવશે એટલે પોલીસ તમને છોડશે નહીં આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજકારણી, ગુંડા અને અધિકારી સાથે બેસી જાય તો ગામની ડિઝાઈન બદલી જાય છે તે આપણે છેલ્લા વર્ષોમાં જોયું છે જો કે હવે તે બધું જ સુધારવાનું છે અને અધિકારીઓ સારી રીતે કામ કરશે અને લોકોને વ્યાજખોરોના ત્રાસ માંથી છોડાવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી






Latest News