મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા


SHARE











મોરબીને વ્યાજખોર મુક્ત કરવા ગુરૂવારે રેન્જ આઇજીની હાજરીમાં પોલીસની જનસંપર્ક સભા

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે તા ૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરના ત્રાસની કોઈ પણ ભોગ બનેલ વ્યક્તિ ફરિયાદ કરી શકશે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.૧૨ જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે પોલીસ દ્વારા લોકોને નાણાકીય જરૂરિયાત માટે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવાને બદલે બેન્કકો-ઓપરેટીવ સોસાયટી કે અન્ય માઈક્રો ફાઇનાન્સ કંપનીમાંથી લોન-ધિરાણ મળી રહે તે માટે વિવિધ નાણાકીય સંસ્થાઓની માહિતી પણ આપવામાં આવશે સાથે લોન માર્ગદર્શન અંગે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. આ ઉપરાંત જનસંપર્ક સભામાં કોઈ નાગરિકો ફરિયાદ ન કરી શકે તેમ હોય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૭૮મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૭૫૬૭૮ ૮૮૮૬૭ કે પછી મોરબી એસઓજીના ઈન્ચાર્જ પીઆઇ મોબાઈલ નં. ૯૫૩૭૭ ૯૯૮૮૮ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News