મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો


SHARE











મોરબી : ડેરીમાં સાથે કામ કરતો યુપીનો શખ્સ સગીરાને ભગાડી જતા ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડેરીમાં સાથે કામ કરતો મૂળ યુપીનો શખ્સ મોરબીની સગીરાનું અપહરણ કરીને ભગાડી જતા હાલમાં ભોગ બનેલ પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી સગીરાની ભાળ મેળવવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાડા રોડ ઉપર આવેલ ડેરીમાં કામ કરતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં તેઓએ સંજય ચંદનસિંહ યાદવ રહે. બડાગાવ જસનારા ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનેલ સગીરા અને આરોપી સંજય યાદવ બંને ડેરીમાં સાથે કામકાજ કરતા હતા દરમિયાનમાં લલચાવી ફોસલાવીને ઉપરોક્ત ઇશમ દ્વારા સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું છે હાલમાં પોલીસે કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ સંજય યાદવ નામના યુપીના શખ્સ સામે ગુનો નોંધ્યો છે જેની તપાસ એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ચુલી ગામે રહેતા દિનેશ ભીખાભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાને ચુલી ગામે રઘુભાઈ પોપટભાઈ ભરવાડની વાડી નજીક કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી ધાંગધ્રા પોલીસને બનાવ અંગે જાણ કરેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના વીજળીયા ગામે રહેતા છાંયાબેન હિતેશભાઈ ઝાલા નામની ૨૧ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને છાંયાબેનને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરા પાછળ આવેલ અમરેલી ગામે રહેતા ધ્રુવ સતિષભાઈ દેત્રોજા નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના નાનીવાવડી ગામે સમજુબા સ્કૂલ નજીક આવેલ ભગવતી પાર્ક સોસાયટી સામે બાઇકમાંથી પડી જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ એચ.એમ.ચાવડાને સોંપવામાં આવેલ હોય તેવો તપાસ ચલાવી રહ્યા છે.






Latest News