મોરબીના વનાળીયા ગામ નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૩ શખ્સો ૪.૬૩ લાખની રોકડ સાથે પકડાયા
Morbi Today
મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું
SHARE
મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ હિંદુવાદી સંગઠનો દ્વારા દર વર્ષે શૌર્ય સંચાલન યોજવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં હિન્દુવાદી સંગઠનોએ શૌર્ય સંચાલનનું આયોજન કર્યું હતું ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી આ શૌર્ય સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડ, ચકીયા હનુમાનજી મંદિર, શાક માર્કેટ થઈને આ શૌર્ય સંચાલન નગર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુવાદી સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો ત્રિશુલ સાથે જોડાયા હતા.









