મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ શીવાભાઈ ઇટોદરા નામનો ૩૨ વર્ષનો યુવાન સાદુરકા ગામ અને સાદુરકા ગામના પાટીયા વચ્ચેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર શકિતપરા વિસ્તારમાં રહેતા રમેશ શામજીભાઈ સારલા નામના ૧૮ વર્ષના યુવાનને પણ વહેલી સવારે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવારમાં લવાયો હતો જોકે અહીં મોરબી સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય તેને રાબેતા મુજબ ત્યાં સારવારમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેવામાં આવતા રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

બાળક-વૃદ્ધ સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સુમિત પ્રહલાદભાઈ દેવીપુજક નામના ૧૦ વર્ષના બાળકને રણછોડનગર પાણીના ટાંકા પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પહોંચતા સુમિતને અહીંની સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના રામઘાટ પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સેફુદીનભાઈ અસગરઅલી લાકડાવાલા નામના ૭૮ વર્ષના વૃદ્ધ રામચોકના ઢાળીયા પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા તેઓને પણ ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

ફિનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા અવનીબેન મનીષભાઈ અંબારામભાઇ રાણીપા નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલની ગોળીઓ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News