મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોક ડાયરામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના જમાવટ કરશે ત્યારે ધર્મપ્રેમી જનતાને ડાયરાને માણવા માટે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબી વાંકાનેર વચ્ચે રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશના લોકો શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવતા હોય છે જોકે, સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વાંકાનેર અને ઉત્સવ સમિતિ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આગામી તા. ૧૪/૧/૨૦૨૩ ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે સ્વ. વિજેશભાઈ ડાયાભાઈ દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર સાગરદાન ગઢવીનું ગ્રુપ તેમજ પૂનમબેન ગોંડલીયા અને તેના સાજીદાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે મંદિરની ગૌશાળા અને મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થી યોજાતા આ લોક ડાયરામાં ધર્મપ્રેમી જનતાને અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા અને ડાયરાની મોજ માણવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News