મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોક ડાયરામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના જમાવટ કરશે ત્યારે ધર્મપ્રેમી જનતાને ડાયરાને માણવા માટે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબી વાંકાનેર વચ્ચે રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશના લોકો શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવતા હોય છે જોકે, સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વાંકાનેર અને ઉત્સવ સમિતિ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આગામી તા. ૧૪/૧/૨૦૨૩ ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે સ્વ. વિજેશભાઈ ડાયાભાઈ દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર સાગરદાન ગઢવીનું ગ્રુપ તેમજ પૂનમબેન ગોંડલીયા અને તેના સાજીદાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે મંદિરની ગૌશાળા અને મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થી યોજાતા આ લોક ડાયરામાં ધર્મપ્રેમી જનતાને અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા અને ડાયરાની મોજ માણવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News