મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
Breaking news
Morbi Today

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ


SHARE











વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં આવતા મિલ પ્લોટ શેરી નંબર-૧ માં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી રોડ રસ્તા ઉપર વહી રહી છે જેની અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાં ગટરની ગંદકીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને સ્થાનિક લોકોને ના છૂટકે ગટરની ગંદકી વચ્ચે રહેવું પડે અને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટીના વિક્રમભાઈએ વાંકાનેરના નાયબ કલેક્ટર તથા પાલિકાના વહીવટદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારની અંદરથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરેલ છે તેમજ શેરીઓમાંથી કચરા અને ગંદકી નિયમિત રીતે ઉપાડવામાં આવે તેના માટે પણ રજૂઆત કરેલ છે જોકે અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે






Latest News