ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે


SHARE











મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે

મોરબી ૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને તેને બ્લેક રવિવાર તરીકે લોકોએ કહે છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા અને આ લોકો તેના પરિવારજનો સાથે ઝૂલતા પુલે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેને કાળનો ભેટો થઈ ગયો હતો

જેથી કરીને અકાળે મોતનો કોળિયો બની ગયેલા આ ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રવાપર રોડ ખાતે બપોરે ૩ થી ૫ દરમ્યાન રાખેલ છે જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News