મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી


SHARE











હળવદના નવા માલણીયાદ ગામે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો: સ્યૂસાઇડ નોટ મળી

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ શેરીમાંથી હતા ત્યારે શેરીમાંથી પસાર થતાં ટ્રેક્ટરની આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેના ઉપરથી ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી ગયા હોવાથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેમાં નવ વ્યાજખોરો દ્વારા તેના જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાથી તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી મૃતકના પરિવારજનોએ હળવદ પોલીસ સ્ટેશન્મા ફરિયાદ માટે અરજી કરેલ છે જો કે, હજુ સુધી ફરિયાદ નોંધાયેલ નથી 

હળવદ તાલુકાના નવા માલણીયા ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬) પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓની શેરીમાંથી ટ્રેક્ટર ટ્રૉલી સાથે પસાર થઈ રહયું હતું ત્યારે મોબાઇલ ઉપર વાત કરતા કરતા સીધા જ તેને ટ્રેક્ટરની આડે પડતું મુક્યુ હતું અને ત્યારે તેના શરીર ઉપરથી ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક જયંતીભાઈના ભાઈ ભરતભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતકે લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી છે જેથી કરીને તે સ્યૂસાઇટ નોટ  સાથે પોલીસને મૃતકના પરિવારજનોએ અરજી કરી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને વધુમાં મૃતકા વૃદ્ધના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સ્યૂસાઇટ નોટમાં કુલ મળીને નવ શ્ખ્સોના નામ લખવામાં આવ્યા છે તે તમામની સામે ગુનો નોંધવામાં આવે તેવી મૃતકના પરિવાજનોએ માંગ કરી છે 






Latest News