તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરે અને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ રામદેવપીરના મંદિર પાસેથી મૂળ દરેડ ગામના રહેવાસી સાજણભાઈ માણસુરભાઈ ખરા પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને માથામાં અને શરીરને ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હોય હાલમાં મૃતક આધેડના દીકરા નિકુલભાઇ સાજણભાઈ ખરા (ઉંમર ૨૧) રહે. મૂળ દરેડ હાલ ભલગામ વાંકાનેર વાળાની ફરિયાદ લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાસે એસપી રોડ નજીકથી સભારાની વાડીમાં રહેતા ગોરધનભાઈ માધવજીભાઈ પરમાર (૨૮) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે સ્કૂલ બસ નં. જીજે ૩૬ ટી ૨૩૭૭ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને ગોરધનભાઈને હાથે, પગે અને શરીરમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને સ્કૂલ બસનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા ગોરધનભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂલ બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News