મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી


SHARE











ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી

ટંકારા નજીક આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવેલ જીરાના જથ્થામાંથી ૬૮ કટ્ટા (કોથળા)ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૮.૧૬ લાખનું જીરું તથા એક વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શિવધારા રેસીડેન્સી ખાતે રહેતા અને ટંકારા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઇઝ નામનું ગોડાઉન ધરાવતા પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણી જાતે પટેલ (ઉંમર ૫૭)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૫/૧૧ ના રોજ રાત્રિના ૯:૩૦ થી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું સટર તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરાના જથ્થામાંથી જીરાના કટ્ટાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૮.૧૬ લાખ રૂપિયાની કિંમતનું જીરું તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા (ઉમર ૯૨) ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News