સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન


SHARE





રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન

રાજકોટ ગુરુકુલને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડીસેમ્બરમાં ઉજવાનાર મૂલ્ય સભર અમૃત મહોત્સવના ઉપલક્ષમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અમૃત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

જેમાં વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પ્રગલ્ભ મહાપુરુષ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીમહંત સ્વામીનારાયણપ્રસાદ સ્વામી તથા ૩૫ જેટલાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો આવ્યા હતા જેના દર્શન અને આશીર્વચનનો હારી ભક્તોએ લાભ લીધો હતો અને રાજકોટના અમૃત મહોત્સવનું આમંત્રણ સ્વામિ દ્વારા હારી ભક્તોને આપવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકો દ્વારા ભક્તિનૃત્યો તથા યુવાનો દ્વારા પારિવારિક મૂલ્યોને પોષિત કરતું રૂપક પ્રસ્તુત કર્યું હતું. સાથે સાથે ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ૧૫ મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગાન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદબાઈ વરમોરામગનભાઈ ભોરણીયાવલ્લભભાઈ ગાંભવાવિનુભાઈ ભોરણીયાઅરુણભાઈ કાલરીયા સહિત ૧૪૦૦ ઠી વધુ ભાવિકો હાજર રહ્યા હતા અને સંતોના દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો




Latest News