તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં


SHARE











મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને ૮૦ આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૦ ફોર્મ રદ કરવામાં આવેલ હતા ત્યાર બાદ જે ઉમેદવારોના ફોમ બાકી હતા તેમાંથી અત્યાર સુધીમાં ૧૫ ફોમ પરત ખેચવામાં આવેલ છે જેથી કરીને હજુ પણ જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ ઉમેદવારો મેદાનમાં છે જેમાં સૌથી વધુ ઉમેદવારો મોરબી માળીયા બેઠક ઉપર છે

મોરબી જિલ્લાની મોરબી માળિયાટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦વાકાનેર કુવાડવા બેઠક માટે ૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ હતા

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયાકોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયાકોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણીકોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે

તેના સહિત ત્રણ બેઠક માટે કુલ ૫૦ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૨૬વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૭ ઉમેદવાર હજુ પણ ચૂંટણીનાં જંગમાં હતા અને તા ૧૭ ના રોજ ઉમેદવારોમાંથી ઉમેદવારી પત્રો ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ૯વાકાનેર કુવાડવા બેઠક ઉપરથી બે દિવસમાં ૪ અને ટંકારા પડધરી બેઠક ઉપરથી બે ઉમેદવારે તેમાં ફોમ પાછા ખેચી લીધેલ છે જેથી કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૭વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૩ અને ટંકારા પડધરી બેઠક માટે ૫ ઉમેદવાર મેદાનમાં છે અને મોરબી માળીયામાં સૌથી વધુ ૧૭ ઉમેદવારો મેદાનમા  હોવાથી બે બેલેટ યુનિટ મૂકવા પડશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News