મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ


SHARE







મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ

ગુજરાતી એસટી નિગમમાં ચાલતી ભંગાર બસો બંધ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અકસ્માત થાય પહેલા તેનો નિકાલ કરો તેમ અહીંના પી.પી.જોશીએ જણાવેલ છે.

ગુજરાત એસટી નિગમમાં આજના સમયે ઘણી સ્લીપર કોચ એસટી બસ તથા ગુર્જર નગરી બસો કે જેના કિલોમીટર પણ પુરા થઈ ગયેલ છે તેવી બસો ચલાવવામાં આવે છે.બસની આવરદા પુરી થઇ ગઇ હોવા છતાં લાંબા રૂટમાં જેમકે સુરત, દાહોદ રૂટ ઉપર ચાલે છે અને માનવ જીવન સામે ખુલ્લેઆમ ચેડા થાય છે.નિગમના નિયમો મુજબ જે બસના કિલોમીટર પૂરા થઈ ગયેલ હોય તેને સ્ક્રેપ (ભંગાર) કરવી જોઈએ છતાં નિગમના જવાબદાર અધિકારીઓ આવી બસો પણ રૂટ ઉપર ચલાવે છે અને જેના પગલે નાના મોટા અકસ્માત થાય છે અને બાદમાં દોષનો ટોપલો ડ્રાઇવર ઉપર નાખવામાં આવે છે જે વ્યાજબી નથી. આવી ભંગાર બસોનું જ્યારે અકસ્માત થાય ત્યારે કરોડો રૂપિયાના સરકાર કે વીમા કંપનીએ મુસાફરને ચૂકવવા પડે છે અને નિગમ ખોટના ખાડામાં ઉતરે છે અને મુસાફર જનતાને હેરાન પરેશાન થાય છે છતાં એસટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે ઘણી જ દુઃખ વાત છે ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયા એસટી પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીને કારણે મુસાફર જનતાને સહન કરવું પડે છે.તેથી આવી ગુજરાતમાં ચાલતી તમામ બસો કે જેના કીલોમીટર પુરા થઇ ગયા હોય તેને સ્ક્રેપ કરવી જોઈએ તેવી માંગ અહીંના જાગૃત નાગરીક પી.પી.જોશીએ કરેલ છે.






Latest News