તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ


SHARE











મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ

ગુજરાતી એસટી નિગમમાં ચાલતી ભંગાર બસો બંધ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અકસ્માત થાય પહેલા તેનો નિકાલ કરો તેમ અહીંના પી.પી.જોશીએ જણાવેલ છે.

ગુજરાત એસટી નિગમમાં આજના સમયે ઘણી સ્લીપર કોચ એસટી બસ તથા ગુર્જર નગરી બસો કે જેના કિલોમીટર પણ પુરા થઈ ગયેલ છે તેવી બસો ચલાવવામાં આવે છે.બસની આવરદા પુરી થઇ ગઇ હોવા છતાં લાંબા રૂટમાં જેમકે સુરત, દાહોદ રૂટ ઉપર ચાલે છે અને માનવ જીવન સામે ખુલ્લેઆમ ચેડા થાય છે.નિગમના નિયમો મુજબ જે બસના કિલોમીટર પૂરા થઈ ગયેલ હોય તેને સ્ક્રેપ (ભંગાર) કરવી જોઈએ છતાં નિગમના જવાબદાર અધિકારીઓ આવી બસો પણ રૂટ ઉપર ચલાવે છે અને જેના પગલે નાના મોટા અકસ્માત થાય છે અને બાદમાં દોષનો ટોપલો ડ્રાઇવર ઉપર નાખવામાં આવે છે જે વ્યાજબી નથી. આવી ભંગાર બસોનું જ્યારે અકસ્માત થાય ત્યારે કરોડો રૂપિયાના સરકાર કે વીમા કંપનીએ મુસાફરને ચૂકવવા પડે છે અને નિગમ ખોટના ખાડામાં ઉતરે છે અને મુસાફર જનતાને હેરાન પરેશાન થાય છે છતાં એસટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે ઘણી જ દુઃખ વાત છે ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયા એસટી પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીને કારણે મુસાફર જનતાને સહન કરવું પડે છે.તેથી આવી ગુજરાતમાં ચાલતી તમામ બસો કે જેના કીલોમીટર પુરા થઇ ગયા હોય તેને સ્ક્રેપ કરવી જોઈએ તેવી માંગ અહીંના જાગૃત નાગરીક પી.પી.જોશીએ કરેલ છે.






Latest News