મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટીમાં વર્ષોથી પ્રાથમીક સુવીધાઓ બાબતે દાખવવામાં આવતી ઉપેક્ષાના પગલે સ્થાનીકો કરશે ચૂંટણી બહિષ્કાર


SHARE











મોરબીના બોરીયાપાટીમાં વર્ષોથી પ્રાથમીક સુવીધાઓ બાબતે દાખવવામાં આવતી ઉપેક્ષાના પગલે સ્થાનીકો કરશે ચૂંટણી બહિષ્કાર

મોરબી સહીત રાજયમાં વિધાનસભા ચુંટણીના પ્રચારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચીચ રખાતા બોરીયાપાટી વિસ્તારના લોકોએ નેતાઓને ચમત્કાર બતાવવા ચુંટણીમાં મતદાન બહીષ્કારના બેનરો લગાવીને વિરોધ દર્શાવેલ છે.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લીધે સમગ્ર ભારત નહીં વિશ્વમાં જેનું નામ છે તેવા મોરબી સીટીની જો સાચી વાસ્તવિકતાની વાત કરીએ તો અહીં બેસુમાર ગંદકી, તૂટેલા રોડ-રસ્તા, ઉભરાતી ગટરો, પુરતી અને નિયમીત સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારપટ અને સમ ખાવા પૂરતા પણ બગીચા નહીં તેવા પ્રકારનો જ્યારે ઘાટ છે ત્યારે આ તમામ અસુવીધાઓથી ત્રસ્ત મોરબીના લોકો પૈકી અહીંના બોરીયાપાટી વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારના બેનરો લગાવી રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

અહીંના બોરીયાપાટી વિસ્તારમાં આગામી ચૂંટણીમાં મતદાન બહીષ્કારના બેનેરો લગાવવામાં આવેલ છે. વર્ષોથી રજૂઆતો કરતા હોવા છતા કોઇ પક્ષ દ્રારા તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી નથી તેવો લોકોનો આક્ષેપ છે.છેવાડાની વાડી વિસ્તારમાં સુવિધાઓ આપવા તંત્ર દ્રારા અન્યાય કરાતો હોય મતદાનનો બહિષ્કાર કરવા અંગે ત્યાંના નાગરીકોએ નિર્ણય કરીને બોરીયાપાટી વિસ્તારમાં રહેતા લોકોએ બેનેર લગાવી વિરોધ પ્રગટ કર્યો છે.

બનેરમાં વાડી વિસ્તારમાં લાઇટ, પાણી, સફાઇ, પોસ્ટ સુવીધા, રોડ-રસ્તા સહિતની પ્રાથમીક સુવિધાઓ પણ મળતી ન બોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.જેને લઇને રાજકીય બેડામાં ચર્ચાઓ વેગવાન બની છે કે કના મત કપાશે..?






Latest News