મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય


SHARE











વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય

વાંકાનેર કુવાડવા બેઠક માટે વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ ભાજપ પક્ષ પાસે ટિકિટ માંગી હતી જોકે, ભાજપમાનથી વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હતી અને આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મટિંગ મળી હતી અને તેમાં સર્વાનુમતે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલા આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે નહીં તેવી સંમતિ તેઓએ પણ સમાજના આગેવાનોને આપેલ છે

મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલાને ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં રોષની લાગણી હતી અને રાજપૂત સમાજના આગેવાનો આજે પરશુરામ સોસાયટી પાસે આવેલ સમાજની વાડીએ એકત્રિત થયા હતા અને ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ હાલમાં ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવી કે કેમ તેના માટેની સમાજના આગેવનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ભાજપના પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવી ન જોઈએ તેના માટે આગેવાનોને સમજાવ્યા હતા અને ત્યાર બાદ સમાજના આગેવાનોએ મહારાણા કેશરિદેવસિંહ ઝાલા સાથે વાત કરીને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર અપક્ષમાં ઉમેદવારી ન કરવા માટે કહ્યું હતું ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ સમાજના આગેવાનોએ તેમનં હિતને ધ્યાને રાખીને જે નિર્ણય કરેલ છે તેમાં સંમતિ દર્શાવી હતી અને તેઓ ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નહિ કરે તેવું વાંકાનેર રાજપુત સમાજના મહામંત્રી રાજેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News