મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય


SHARE







વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય

વાંકાનેર કુવાડવા બેઠક માટે વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ ભાજપ પક્ષ પાસે ટિકિટ માંગી હતી જોકે, ભાજપમાનથી વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હતી અને આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મટિંગ મળી હતી અને તેમાં સર્વાનુમતે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલા આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે નહીં તેવી સંમતિ તેઓએ પણ સમાજના આગેવાનોને આપેલ છે

મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલાને ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં રોષની લાગણી હતી અને રાજપૂત સમાજના આગેવાનો આજે પરશુરામ સોસાયટી પાસે આવેલ સમાજની વાડીએ એકત્રિત થયા હતા અને ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ હાલમાં ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવી કે કેમ તેના માટેની સમાજના આગેવનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ભાજપના પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવી ન જોઈએ તેના માટે આગેવાનોને સમજાવ્યા હતા અને ત્યાર બાદ સમાજના આગેવાનોએ મહારાણા કેશરિદેવસિંહ ઝાલા સાથે વાત કરીને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર અપક્ષમાં ઉમેદવારી ન કરવા માટે કહ્યું હતું ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ સમાજના આગેવાનોએ તેમનં હિતને ધ્યાને રાખીને જે નિર્ણય કરેલ છે તેમાં સંમતિ દર્શાવી હતી અને તેઓ ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નહિ કરે તેવું વાંકાનેર રાજપુત સમાજના મહામંત્રી રાજેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News