મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે


SHARE











મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સનસિટી ગ્રાઉન્ડમાં તા ૧૭  નવેમ્બરના રોજ અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સાથે જ જોડાયેલ મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૧૭ નવેમ્બરને ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડમાં અમૃત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહેશે આ અમૃત સંમેલનમાં રાજકોટ ગુરુકુલની તમામ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે અને અમૃત સંમેલનમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમૃત સંવાદ, સંત દર્શન-સત્સંગ, રૂપકઃ ઘર બને એક મંદિર જેવા કાર્યક્રમો ત્યારે રજૂ કરવામાં આવશે






Latest News