મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે


SHARE











મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સનસિટી ગ્રાઉન્ડમાં તા ૧૭  નવેમ્બરના રોજ અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સાથે જ જોડાયેલ મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૧૭ નવેમ્બરને ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડમાં અમૃત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહેશે આ અમૃત સંમેલનમાં રાજકોટ ગુરુકુલની તમામ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે અને અમૃત સંમેલનમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમૃત સંવાદ, સંત દર્શન-સત્સંગ, રૂપકઃ ઘર બને એક મંદિર જેવા કાર્યક્રમો ત્યારે રજૂ કરવામાં આવશે






Latest News