મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે બે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં : એક રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે બે બાઇક અથડાતા બે યુવાન સારવારમાં : એક રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલી જૂની કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક અથડાવાથી થયેલ અકસ્માત બનાવમાં માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં કુલદીપ સુરેશભાઈ કાચા (ઉમર ૨૬) અને જાડેજા મહેશ વિક્રમભાઈ (ઉમર ૨૪) રહે. બાપા સીતારામ મઢુલી પાસે સોનિકા સીરામીક નજીક લાલપર તાલુકો જીલ્લો મોરબી વાળાઓને આયુષ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેને માથાના ભાગ ઇજા હોવાનું જણાતા બે પૈકીના કુલદીપ કાચાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે મોરબીના ગાળા ગામના મહેશ બાવજીભાઈ જીતયા નામના ૪૨ વર્ષનો યુવાન ગઈકાલે સાંજે બાઈકમાં જતો હતો તે સમયે ગાળા ગામના પાટીયા બાજુ જતા હરી ફેક્ટરી નજીક બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની નવલખી રોડ ઉપર આવેલી જૂની રેલ્વે કોલોની વિસ્તારમાં રહેતો આદિદવિડન નવીન પાનનીવેલ (ઉમર ૧૭) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાછળના વિસ્તારમાં કાચા રસ્તેથી બાઈક લઈને જતો હતો ત્યાં તેનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગાળા ગામનો રહેવાસી ધવલ જગદીશભાઈ કાચરોલા નામનો ૨૮ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશીપથી ઓફિસ બાજુ જતો હતો ત્યારે ઉમા ટાઉનશિપ નજીક તે બાઈકમાંથી નીચે પડી જતા ધવલને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી વીસીપરા નજીક આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા બીપીન લક્ષ્મણ વાઘેલા નામના ૩૨ વર્ષના યુવાનને રોહીદાસપરામાં આવેલ રાધે કૃષ્ણ મંદિર નજીક મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના નાની વાવડી ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા હીરાભાઈ લક્ષ્મણભાઈ ઉભડિયા નામના ૫૪ વર્ષીય આધેડને પણ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.






Latest News