તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.


SHARE











મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ સીતારામનગર ખાતે રહેતી પરણીતાને તેના બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના પડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવ્યું હતું અને તે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ ખાતે સીતારામનગરમાં રહેતા દિલીપભાઈ કનુભાઈ ચૌહાણના પત્ની રાધિકાબેન ઉર્ફે આરતીબેન ચૌહાણ (૨૫) એ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન રાધિકાબેનનું મોત નિપજ્યું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને તેના બહેનના ઘરે આટો દેવા માટે જવું હતું અને તેના પતિએ તેને ના પાડી હતી જેથી કરીને તેને લાગી આવતાં રાધિકાબેને એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

મહિલાનું મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા લાભુબેન ભુપતભાઈ વિંઝવાડીયા (૫૦) ને બેભાન હાલતમાં તેના પતિ ભુપતભાઈ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News