મોરબી મહાસંઘના હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર અભ્યાસ વર્ગમાં બેંગ્લોર જવા રવાના
મોરબીમાં ગુરુનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉજવણી મોકૂફ: ધૂન-ભજન કરી આપી મૃતકોને શ્રદ્ધાંજલિ
SHARE
મોરબીમાં ગુરુનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉજવણી મોકૂફ: ધૂન-ભજન કરી આપી મૃતકોને શ્રદ્ધાંજલિ
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યારે મોરબીમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી કરવાના બદલે આ વર્ષે ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુ ભવન ખાતે ગુરુનાનક જયંતીના દિવસે ધૂન અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી સિંધી સમાજના ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.