મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 


SHARE





મોરબી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટે સ્નેહમિલન તથા ભગવન્નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ મોકુફ રાખ્યો 

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા(મિં.) દ્વારા રામાનંદ ભવન રામઘાટ મોરબી મુકામે આગામી તા.૮-૧૧ ને મંગળવાર કારતક સુદ પૂનમના જગત ગુરુ નિમ્બાકાચાયૅ જયંતી મહોત્સવ ત્થા રામાનંદી સાધુ સમાજના પરિવારોનુ નવાવર્ષના સ્નેહમિલન સમારોહ રાખેલ હતો પરંતુ જુલતો પુલ તૂટવાની ગોજારી ઘટના બનતા અનેક લોકો મૃત્યુને ભેટ્યા અનેક લોકો ઈજા ગ્રસ્ત થયેલા હોય હાલ તે સમગ્ર કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

વાર તહેવાર વરસો વર્ષ આવવાના જ છે પરંતુ દુઃખદાયક બનાવમા બધાના સહભાગી તો થઈ શકીએ તેમ નથી પરંતુ એક વર્ષ ઉત્સવ ન મનાવી દુઃખદાયક ઘટનાના સહભાગી થવા તમામ કાર્યક્રમ રદ કરેલ છે જેથી તમામ રામાનંદી સાધુ સમાજને જાહેર જાણ કરવામા આવેલ છે..માત્ર જગત ગુરૂ ભગવન્નિમ્બાકાચાર્યજીનુ પુજન અર્ચન તા.૮ ને મંગળવાર સવારે નવ વાગ્યે રાખેલ છે.મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો બંધ રાખવામા આવેલ છે.જેની દરેક જ્ઞાતી બંધુઓએ નોધ લેવી તેમ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ નિમાવત અને મંત્રી ચંદ્રકાંતભાઈ રામાનુજે યાદીમાં જણાવેલ છે.




Latest News