મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી, મૌન રેલી યોજાઇ: ગુનેગારોનો કેસ ન લેવા કરાયો ઠરાવો


SHARE











મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી, મૌન રેલી યોજાઇ: ગુનેગારોનો કેસ ન લેવા કરાયો ઠરાવો

મોરબી બાર એસો. દ્વારા ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મોરબી દુઃખદ ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષિત લોકોના મોત થયેલ છે જેથી મોરબી બાર એસો.ના તમામ વકીલઓ ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે.મોરબી બાર એસો.ના તમામ વકીલઓએ હદયપુર્વક પ્રાર્થના કરીને દરેક પરીવારને આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાની શક્તિ તથા હિંમત આપે એવી વકીલઓએ ભગવાનને પ્રાર્થના કરી છે અને સક્યુલર ઠરાવથી ઠરાવીને આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ તરફે મોરબી વકીલ મંડળના કોઈ વકીલ મીત્રો વકીલ તરીકે રોકાશે નહી તેવુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે અને બેદિવસ કોર્ટ કાર્યવાહીથી અલ્પીત રહેવાનું નકકી કરીને દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળે વિશાળ મૌન રેલી કાઢી હતી. મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતેથી શરૂ થઈ નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી યોજાઇ હતી.






Latest News