મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો


SHARE











મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો

મોરબીમાં રવિવારે સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ઝુલતા પુલ ઉપરથી પસાર થતાં ઘણા બધા લોકો પુલની સાથે જ નીચે મચ્છુ નદીના પટમાં પટકાયા હતા જેથી કરીને નદીના પાણીમાં ડૂબી જવાના કારણે અને ઝુલતા પુલના કાટમાળની નીચે દબાઈ જવાના કારણે સત્તાવાર રીતે 130 કરતા વધુ લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે જેમાં ણા બધા પરિવારોનો માળો વિખાઈ ગયો છે તેવું કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં યુવતીની સગાઈના પ્રસંગ માટે થઈને ઘરમાં ખુશીનો માહોલ હતો અને બહારગામથી આવેલા મહેમાનો યુવતીના ભાઈ, ભાભી, ભત્રીજો તથા ભત્રીજી સાથે ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક આ પુલ તૂટવાના કારણે એક જ કુટુંબના કુલ મળીને આઠ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની સગાઈ હોવાથી તેમના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (31) તેના પત્ની માજોઠી રેશમાબેન (27), દીકરો મેહનૂર (8), દીકરી ફેજાન (6) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (45), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (20) અને હર્ષદ હુસેન માજોઠી (5) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (16) ના પુલના કાંટ માટે નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ નીપજ્યા છે આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર સોમવારના દિવસે સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો રવિવારે સાંજ સુધી તે ઘરની અંદર રવિવારે સાંજથી હવે માતમનો માહોલ છવાઈ ગયો છે અને એકી સાથે એક ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા અનેક લોકોની આંખો ભીંજાઈ હતી. #morbitoday






Latest News