મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો


SHARE











મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો

મોરબીમાં રવિવારે સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ઝુલતા પુલ ઉપરથી પસાર થતાં ઘણા બધા લોકો પુલની સાથે જ નીચે મચ્છુ નદીના પટમાં પટકાયા હતા જેથી કરીને નદીના પાણીમાં ડૂબી જવાના કારણે અને ઝુલતા પુલના કાટમાળની નીચે દબાઈ જવાના કારણે સત્તાવાર રીતે 130 કરતા વધુ લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે જેમાં ણા બધા પરિવારોનો માળો વિખાઈ ગયો છે તેવું કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં યુવતીની સગાઈના પ્રસંગ માટે થઈને ઘરમાં ખુશીનો માહોલ હતો અને બહારગામથી આવેલા મહેમાનો યુવતીના ભાઈ, ભાભી, ભત્રીજો તથા ભત્રીજી સાથે ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક આ પુલ તૂટવાના કારણે એક જ કુટુંબના કુલ મળીને આઠ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની સગાઈ હોવાથી તેમના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (31) તેના પત્ની માજોઠી રેશમાબેન (27), દીકરો મેહનૂર (8), દીકરી ફેજાન (6) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (45), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (20) અને હર્ષદ હુસેન માજોઠી (5) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (16) ના પુલના કાંટ માટે નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ નીપજ્યા છે આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર સોમવારના દિવસે સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો રવિવારે સાંજ સુધી તે ઘરની અંદર રવિવારે સાંજથી હવે માતમનો માહોલ છવાઈ ગયો છે અને એકી સાથે એક ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા અનેક લોકોની આંખો ભીંજાઈ હતી. #morbitoday






Latest News