મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા


SHARE











મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા

મોરબીના જુલતા પુલના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝુલતા તૂટી પડવાના બનેલ બનાવમાં આશરે ૧૪૦ થી વધુ લોકોના સત્તાવાર રીતે મોત નોંધાયા હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે દરમિયાનમાં વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલની ઉપરોક્ત ઘટનામાં જામનગર જિલ્લાના જુદા જુદા બે ગામના મળીને ૧૦ લોકોના ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ જામનગરના જાલીયાદેવાણી અને ખરેડી એમ બે ગામના કુલ મળીને ૧૦ જેટલા લોકોના મોરબીના ઉપરોક્ત જળ હોનારતમાં ભોગ લેવાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીયા ગામના જાડેજા પરિવારના સાત લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (૩૦), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૯), જયાબા ગંભીરસિંહ જાડેજા (૫૫), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૨૬), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૭), દેવાંશીબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૬) અને દેવર્ષિબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૫) નો સમાવેશ થાય છે તેમજ અન્ય ત્રણ હદભાગીઓ જામનગરના ખરેડી ગામના હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.






Latest News