મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ


SHARE











મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ

મોરબીમાં રીનોવેશન કર્યા બાદ બેસતા વર્ષના દિવસે જુલતો પુલ શરૂ કરવામાં આવ્યો હતો અને તેના છઠ્ઠા દિવસે એટલે કે ગઈકાલે તા.૩૦-૧૦ ના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉપરોક્ત ગોજારી અકસ્માત ઘટના બની જેમાં અનેક લોકો હતભાગી બન્યા છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે મદદ કરી રહી છે દરમિયાનમાં મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા માનવતા મેકાવતી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં તમામ પ્રકારના દર્દીઓને તેમની હોસ્પિટલની અંદર એક્સરે, સીટી સ્કેન, રિપોર્ટ, દવા અને અન્ય સારવાર વિનામૂલ્ય કરી આપવામાં આવશે તેવી કાબિલે દાગ જાહેરાત કરવામાં આવી છે.

મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અત્યંત ગંભીર અને દુઃખદાયક છે અને આ દુર્ઘટનામાં ઇજા પામેલ તમામ દર્દીઓની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સરે, સી.ટી. સ્કેન, રિપોર્ટ્સ, દવાઓ તેમજ સંપૂર્ણ સારવાર ફ્રી માં આપેલ છે અને હજુ જે દર્દીઓને ઓપરેશન તેમજ વધુ સારવારની જરૂર છે તે તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર તેમજ તમામ ઓપરેશનો ફ્રી માં કરી આપવામાં આવશે તેવી જાહેરાત ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.વિનોદભાઇ પટેલ દ્રાર કરવામાં આવેલ છે.

ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૂર્ત પામેલ દિવંગત આત્માની શાંતિ માટે આપ દ્રારા કેન્ડલ માર્ચ

ગઈકાલે મોરબીમાં ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક આત્માઓને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજે તા.૩૧-૧૦ ને સોમવારે સાંજે ૬ વાગ્યે નગરદરવાજા થી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ રાખેલ છે તેમા જોડાવા નારગીરોને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાએ અપિલ કરેલ છે.






Latest News