મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ


SHARE







મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ

મોરબીમાં રીનોવેશન કર્યા બાદ બેસતા વર્ષના દિવસે જુલતો પુલ શરૂ કરવામાં આવ્યો હતો અને તેના છઠ્ઠા દિવસે એટલે કે ગઈકાલે તા.૩૦-૧૦ ના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉપરોક્ત ગોજારી અકસ્માત ઘટના બની જેમાં અનેક લોકો હતભાગી બન્યા છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે મદદ કરી રહી છે દરમિયાનમાં મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા માનવતા મેકાવતી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં તમામ પ્રકારના દર્દીઓને તેમની હોસ્પિટલની અંદર એક્સરે, સીટી સ્કેન, રિપોર્ટ, દવા અને અન્ય સારવાર વિનામૂલ્ય કરી આપવામાં આવશે તેવી કાબિલે દાગ જાહેરાત કરવામાં આવી છે.

મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અત્યંત ગંભીર અને દુઃખદાયક છે અને આ દુર્ઘટનામાં ઇજા પામેલ તમામ દર્દીઓની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સરે, સી.ટી. સ્કેન, રિપોર્ટ્સ, દવાઓ તેમજ સંપૂર્ણ સારવાર ફ્રી માં આપેલ છે અને હજુ જે દર્દીઓને ઓપરેશન તેમજ વધુ સારવારની જરૂર છે તે તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર તેમજ તમામ ઓપરેશનો ફ્રી માં કરી આપવામાં આવશે તેવી જાહેરાત ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.વિનોદભાઇ પટેલ દ્રાર કરવામાં આવેલ છે.

ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૂર્ત પામેલ દિવંગત આત્માની શાંતિ માટે આપ દ્રારા કેન્ડલ માર્ચ

ગઈકાલે મોરબીમાં ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક આત્માઓને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજે તા.૩૧-૧૦ ને સોમવારે સાંજે ૬ વાગ્યે નગરદરવાજા થી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ રાખેલ છે તેમા જોડાવા નારગીરોને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાએ અપિલ કરેલ છે.






Latest News