મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઝાડ કાપતા ડાળી પેટમાં લાગતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે ઝાડ કાપતા ડાળી પેટમાં લાગતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ગામના જાપાની પાસે ઝાડ કાપતા સમયે ઝાડની ડાળી પેટના ભાગે લાગી જતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ગામના જાપાની પાસે ઝાડ કાપતા સમયે ઝાડની ડાળી પેટના ભાગમાં લાગી જતા ઈજાગ્રસ્ત થયેલા મેહુલ રમેશભાઈ આદ્રોજીયા નામના ૧૮ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

ઓવરટેક કરતા મારામારી

મોરબીના કંડલા બાયપાસ ભગવતી હોલ નજીક રહેતા દયારામભાઈ કાનજીભાઈ ડાભી નામના ૩૧ વર્ષના યુવાનને રામચોકના ઢાળિયા પાસે રિક્ષાવાળા દ્વારા માર મારવામાં આવતા તેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૦૭૫ ના ચાલક સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણે પોતાનો બાઈક રીક્ષાને ઓવરટેક કરતા તે બાબતનો રોષ રાખીને ઉપરોકત રિક્ષાવાળાએ તેને ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી..! અત્રે નોંધનીય છે કે મોરબી સીટી વિસ્તારમાં નગર દરવાજા ચોક, શાકમાર્કેટ ચોક, નવા-જૂના બસ સ્ટેશન, પુનમ મ્યુઝીક પાસે, યદુનંદન ગેઇટ પાસે, ત્રિકોણબાગ પાસે, શકિત ચોક પાસે અને શહેરના અન મુખ્ય ચોક ખાતે રીક્ષા ચાલકોનો ત્રાસ અનહદ વધી ગયેલ છે અને તેમના વાણી વિલાસને લઈને ત્યાંના વેપારીઓ સહિતના રસ્તે પસાર થતી મહીલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય તેવા પણ બનાવો છાશવારે બનતા હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતા વિપુલ મોહન ભટ્ટી (૪૫) અને અમિત વિપુલ ભટ્ટી (૧૨) ને ઘુંટુ રોડ ગોપાલ કાંટા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાછળ આશીર્વાદ ટ્રેડિંગ નજીક બાઇકમાંથી પડી જતા જાદવજી નારણભાઇ પેથાપરા (૫૨) રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ વાળાને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.






Latest News