મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ઓવરબ્રીજ ઉપર બોલેરો અકસ્માત : ત્રણને સારવારમાં ખસેડાયા


SHARE











મોરબીમાં ત્રાજપર ઓવરબ્રીજ ઉપર બોલેરો અકસ્માત : ત્રણને સારવારમાં ખસેડાયા

મોરબીના પુલ પાસે ગઈકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બોલેરો કારનો અકસ્માત થતા ત્રણને સારવારમાં ખસેડાયા આવવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી ઓવરબ્રિજ ઉપર ગુરૂકૃપા હોટલની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુટીલીટી બોલેરો કાર નંબર જીદે ૩૬ ટી ૮૭૪૫ આગળ જતા કોઇ વાહન સાથે અથડાતા થયેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રાહુલ બનીલાલ ભાંભર (૨૧), હરેશ કરશનભાઇ કુંડારીયા (૫૦) અને શિવમ સતરામ ભીલ (૧૯) રહે.ત્રણેય મોરબી વાળાઓને પ્રથમ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા રશ્મીબેન રાજેશભાઈ નામની ૨૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા ગુલામ યુસુફભાઈ પઠાણ નામના ૨૭ વર્ષેના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. તેમજ મોરબીના માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં બનેવી સાથે બોલાચાલી થયા બાદ થયેલ મારામારીના બનાવમાં અજ઼સગરભાઈ ઈશાભાઈ મોવર (૨૦) અને રસીદાબેન ઈશાભાઈ મોવર (૧૮) નામના બેને ઇજાઓ પહોંચતા તે બંનેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અજય પ્રવીણભાઈ પરમાર નામના ૨૧ વર્ષીય યુવાનને વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર ઢાળિયા નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી હાઇવે લુંટાવદર ગામની સીમમાં બાઈસીંગભાઇ દરિયાસિંગ મોહનિયા નામના ૫૦ વર્ષીય મજૂરને ગામમાં કોઈના દ્વારા લાકડી વડે માર મારવામાં આવેલ હોય સિવિલે સારવારમાં ખસેડાયા હતા






Latest News