મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ડુંગરપુર ગામે ઘરે આત્યાંતિક પગલુ ભરી લેતા મહિલા સારવારમાં


SHARE











મોરબીના ડુંગરપુર ગામે ઘરે આત્યાંતિક પગલુ ભરી લેતા મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી મહિલા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી તેણીને સારવારમાં મોરબી લાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકામાં આવેલા ડુંગરપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા કિરણબેન કુકાભાઈ વિઠલાપરા નામની ૨૦ વર્ષની મહિલા કોઈ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી અર્ધ બેભાન હાલતમાં તેણીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે અને હાલ તે અર્ધ બેભાન હોય બનાવના સંદર્ભે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ટંકારા તાલુકાના સજ્જનપર ગામે અશોકભાઈ બરાસરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની ગંગાબેન આકાશભાઈ કરસનભાઈ ધાણક નામની ૨૦ વર્ષીય મહિલા કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બંને બનાવો સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખાનપર ગામે રહેતા ભાવેશભાઈ મહાદેવભાઇ ભીમાણી નામનો ૪૦ વર્ષનો યુવાન ઘરેથી બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે બહાર નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. જ્યારે અમદાવાદના ગોમતીપુરા વિસ્તારના રહેવાથી રાહુલ મૂળજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી તાલુકાના પાનેલી ગામે જુનાવાસ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજાઓ થતાં તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે આવેલ સિમોલા સીરામીકના લેબર ક્વાર્ટર પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ભેરૂભાઈ મહેન્દ્રભાઈ યાદવ નામના ૩૨ વર્ષેના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી ફાટક પાસે રહેતા અજય પ્રવીણભાઈ પરમાર નામનો ૧૮ વર્ષીય યુવાન વાંકાનેર હાઈવે ઉપરના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યાં તેને ફેઈસ સિરામીકની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો છે.






Latest News