મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


SHARE











મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના વડીલ એવા મગનભાઈ સંઘાણીનું અવસાન થતાં મૃત્યુનો શોક મનાવવાના બદલે સ્મશાન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને મૃત્યુના અસરને પણ ઉત્સવમાં પલટી દેવામાં આવ્યો હતો.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે જનકનગર વિસ્તારમાં રહેતા સંઘાણી પરિવારના મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.જેથી તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના પરિવાર દ્વારા પિતાના અવસાનમાં શોક મનાવવાના બદલે પરિવારની લીલી વાડી જોઈને ગયેલા વડીલની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંઘાણી પરિવાર તેમજ તેઓના સગા સંબંધીઓ દ્વારા અવસાન પામેલા મગનભાઈ સંઘાણીને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે સ્મશાન યાત્રા દરમિયાન કોઈએ રડવાનું નથી કે શોક મનાવવાનો નથી.તેથી હરી કીર્તન તેમજ ૐ નમ:શિવાયના જાપ સાથે મગનભાઈ સંઘાણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.






Latest News