મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


SHARE











મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારે કુટુંબના વડીલને આપી વાજતે ગાજતે અંતિમ વિદાય


મોરબીના ઘુંટુ ગામે સંઘાણી પરિવારના વડીલ એવા મગનભાઈ સંઘાણીનું અવસાન થતાં મૃત્યુનો શોક મનાવવાના બદલે સ્મશાન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી અને મૃત્યુના અસરને પણ ઉત્સવમાં પલટી દેવામાં આવ્યો હતો.મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે જનકનગર વિસ્તારમાં રહેતા સંઘાણી પરિવારના મગનભાઈ મેઘજીભાઈ સંઘાણીનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.જેથી તેમના પુત્રો રણછોડભાઈ, વસંતભાઈ અને અમૃતભાઈ સહિતના પરિવાર દ્વારા પિતાના અવસાનમાં શોક મનાવવાના બદલે પરિવારની લીલી વાડી જોઈને ગયેલા વડીલની વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંઘાણી પરિવાર તેમજ તેઓના સગા સંબંધીઓ દ્વારા અવસાન પામેલા મગનભાઈ સંઘાણીને વાજતે ગાજતે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે સ્મશાન યાત્રા દરમિયાન કોઈએ રડવાનું નથી કે શોક મનાવવાનો નથી.તેથી હરી કીર્તન તેમજ ૐ નમ:શિવાયના જાપ સાથે મગનભાઈ સંઘાણીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.






Latest News