મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ


SHARE











મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ચીફ સ્પોક પર્સન મનીષભાઈ દોશી દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ મીડિયા સેન્ટર બાદ અલગથી મીડિયા ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉતર ગુજરાત યુનવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો. નીદત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનનાં ઇન્ચાર્જ બનાવાયા છે.

સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લામાંથી જુદા જુદા ૧૨ કાર્યકર્તાની કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રવક્તાની ટીમમાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષની વિચારધારાને લોકો સુધી સહેલાઇથી પોહચાડી શકાશે કેમ કે, તે ડાઉન ટુ અર્થ રહીને કામગીરી કરી રહ્યા છે

હાલમાં કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર ઝોનની ટીમમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે આનંદભાઈ ગોહિલ, પ્રવક્તા તરીકે મિહીરભાઈ મહેતા, દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, તુસીતભાઈ પાનેરી, યુવરાજસિંહ પરમાર, કૃષ્ણદત્ત રાવલ, ધીરજભાઈ શિંગાળા, ભરતભાઈ ભીલ, ધનશ્યામભાઈ ભટ્ટી, સંગીતાબેન ચાંડપા અને રોહિતભાઈ રાજપુતનો સમાવેશ કરાયો છે

આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં વિચારોને અને સરકાર આવ્યા બાદ કોંગ્રેસએ કરેલા વાયદાઓને લોકો સુધી પોહચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. આ તકે કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશી અને ડો.નીદત બારોટ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ આ ટીમની તાલીમનાં કાર્યક્રમોનું આયોજન થશે અને આ તમામ પ્રવકતા ઓને જિલ્લામાં મીડિયા ટીમ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવશે.






Latest News