મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા


SHARE











ટંકારામાં પાણી, જનરેટર અને કિટના અભાવે ડાયાલિસિસ સેન્ટર શોભાના ગાંઠિયા

ટંકારાના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા ઊભી કરવામાં આવી  છે જો કે, સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યા પાણી અને લાઈટ જનરેટર અને કિટના અભાવે આ સુવિધાનું બાળ મરણ થયું તેવો ધાટ સર્જાયો છે.

ટંકારામાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓને મોરબી અને રાજકોટના ધક્કા બંધ થઈ જશે તેવી દર્દીઓને આશા હતી જો કે, આ ડાયાલીસીસ સેન્ટરનુ બાળમરણ થયુ હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કેમ કે, અહિયાં પાણી, લાઈટ અને કીટ જ ન હોવાથી ડાયાલીસીસ સેન્ટર બંધ જેવી સ્થિતિ છે અને કિડનીના દર્દીઓને હેરાન થવું પડે છે ત્યારે આ ડાયાલીસીસ સેન્ટરના ઈન્ચાર્જ ડિમ્પલબેન પટેલે જણાવ્યુ હતું કે, પાણીનો ટાંકો ભરાઈએ માટે અવ્યવસ્થા અને લાઈટ જતી રહે તો જનરેટર ન હોય ત્રણ દર્દી છે એમને અન્ય જગ્યાએ સારવાર ચાલુ કરી દીધી છે. તો જીલ્લા કક્ષાએ ડાયાલિસિસ ટેક્નિશિયન હિરેન ગોસાઈએ જણાવ્યુ હતું કે, રાજ્ય આખામાં સેન્ટરો શરૂ કરી દેતા કિટ આપતી કંપની પાસેથી જરૂરી જથ્થો મળી રહ્યો નથી જેથી થોડા દિવસોમાં પરિસ્થિતી થાળે પડી જશે અને ટંકારા સિવિલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. પરમારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉપરી અધિકારીએ જગ્યા આપવા કહ્યું હતું જે આદેશનું પાલન કર્યું છે ત્યાર આવી બેજવાદરી કોઇની માટે જીવલેણ સાબિત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે 






Latest News