તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે સિટી મામલતદાર ઓફિસ શરૂ કરવા માંગ


SHARE











મોરબીના સામાકાંઠે સિટી મામલતદાર ઓફિસ શરૂ કરવા માંગ

મોરબીમાં મોટાભાગની સરકારી કચેરીઓ સામાકાંઠે આવેલી છે અને સામાકાંઠે પણ ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોય ત્યાંના લોકોને સગવડતા રહે તે માટે શહેરના સામાકાંઠે સીટી મામલતદાર ઓફિસ શરૂ કરવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિક દ્વારા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખીને શહેરના સામાકાંઠે સીટી મામલતદાર ઓફિસ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.વધુમાં તેઓએ જણાવેલ છેકે હાલમાં સિટી મામલતદાર મોરબી વીસીફાટક પાસે ચાલુ છે ત્યાં અન્ય કામગીરી માટે અરજદારને ધક્કા થાય છે.જનસેવા કેન્દ્ર પણ ત્યાં ચાલુ કરેલ નથી.જેથી આવકના દાખલા તથા જાતિના દાખલા તેમજ અન્ય કામગીરી માટે સેવાસદન તથા સિટી મામલતદાર ઓફીસે જવું પડે છે.સરકારે સિટી મામલતદાર ઓફિસ ત્રણ વર્ષથી ચાલુ કરેલ છે છતાં એક જ જગ્યાએ આ ઓફિસ ચાલુ કરવામાં આવેલ છે.નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદારની એક જ જગ્યાએ ઓફિસ હોય તે જરૂરી છે જેથી અરજદારોને ખોટા ભાડા ખર્ચીને ધક્કા ન થાય.તેમજ આ વિસ્તારની તાલુકાની મુલાકાત કરતાં જાણવા મળે છે કે મોરબી જિલ્લામાં નાયબ મામલતદારની અનેક જગ્યા ખાલી છે.એક નાયબ મામલતદાર પાસે ત્રણ ચાર્જ હોવાને કારણે લોકોના કામ સમયસર થતા નથી.નાયબ મામલતદાર પાસે ઇ-ધારાનો ચાર્જ, મધ્યાહન  ભોજનનો ચાર્જ અને પોતાના હોદાનો ચાર્જ આટલી બધી કામગીરી હોવાને કારણે તેઓ પહોચી ન શકતા હોવાના લીધે અવારનવાર અરજદાર સાથે ઘર્ષણ થાય છે અને અરજદરણા કામ સમયસર થતાં નથી અને સરકાર બદનામ થાય છે જે ઘણી ગંભીર બાબત ગણાય. મોરબી સિટી પુરવઠા વિભાગની કામગીરી ખાડે ગયેલ છે તેવી લોકો ફરીયાદ કરી રહ્યા છે.આજે અન્નપૂર્ણા યોજનાના ઘણા ફોર્મ પેન્ડિંગ છે તેનો સમયસર નિકાલ કરવો જોઈએ.સરકાર ગરીબો પાછળ ઘણો ખર્ચ કરે છે પણ અધિકારીઓની અણઆવડત, બેદરકારી તેમજ ઓવરબર્ડન કામદીરીના લીધે પ્રજાએ હાલાકી ભોગવવી પડે છે.આ તમામ બાબતો ધ્યાને લઇને તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી પી.પી.જોષીએ કલેકટરને લેખીત રજૂઆત કરેલ છે.






Latest News