તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે થયેલ મારામારીમાં પાંચની ધરપકડ


SHARE











મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે થયેલ મારામારીમાં પાંચની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં જાહેરમાં રસ્તા ઉપર એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં એક તરફના પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે

મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા મેઇન રોડ પર બાલમંદિર પાસે રહેતા કેશાભાઈ અમરાભાઇ સોલંકી (૬૨)એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ, તુષાર દીપકભાઈ ચૌહાણ, પ્રથમ દીપકભાઈ ચૌહાણ, જીગુભાઈ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ, મયુર પરસોત્તમભાઈ ચૌહાણ અને મીનાબેન પરસોતમભાઈ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પત્ની શેરીમાં એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેનને સારું નહીં લાગતા તેણે ફરિયાદી કેશુભાઈના પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મીનાબેન અને તેના કૌટુંબીક ભાઈઓ દ્વારા ફરિયાદીની પત્ની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લાકડાના ધોકા અને એલ્યુમિનિયમની પટ્ટી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ તેના પત્નીને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ (૨૮), તુષાર ડાયાલાલ ઉર્ફે દીપકભાઈ ચૌહાણ (૨૨), મનસુખ ઉર્ફે જીગુભાઈ દેવજીભાઇ ચૌહાણ (૨૪), કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ (૨૪) અને મયુર પરસોત્તમભાઈ ચૌહાણ (૨૫) રહે. બધા રોહીદાસપરા વાળાની ધરપકડ થયેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના પાડાપુલની નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રતનબેન હરેશભાઈ નામની ૨૬ વર્ષની મહિલાને પાડોશમાં રહેતા કોઈ ઇસમે ઝઘડો કર્યા બાદ પગના ભાગે ધોકો મારી દેતા રતનબેનને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા મહેશ રામજીભાઈ મંદોરીયા જાતે દેવીપુજક નામના ૩૭ વર્ષના યુવાનને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસેના મકરાણીવાસ વિસ્તાર નજીક રહેતા ધુનાબેન નાગજીભાઈ મુંધવા નામના ૭૧ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેઓના બાઇકની આડે કૂતરું આડું ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં ઇજાઓ થવાથી ધુનાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.






Latest News