મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના નાના રામપર ગામેથી મોરબી દવા લેવા માટે આવેલ વૃદ્ધ ગુમ


SHARE











ટંકારાના નાના રામપર ગામેથી મોરબી દવા લેવા માટે આવેલ વૃદ્ધ ગુમ

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરેથી મોરબી દવા લેવા માટે થઈને નીકળ્યા હતા અને ત્યારબાદ અચાનક ત્રણ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી વૃદ્ધનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના નાના રામપર ગામે રહેતા રાણવા પ્રેમજીભાઈ રવજીભાઈ પોતાના ઘરેથી મોરબીમાં સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ઉમા મેડિકલ ખાતે પોતાની ડાયાબિટીસની દવા લેવા માટે થઈને ગત તા.૧૨/૧૦ ના રોજ સવારે ૯ વાગ્યેથી નીકળ્યા હતા જોકે હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને અચાનક વૃદ્ધ ગુમ થઈ ગયા હોવાથી તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટે તેને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને વૃદ્ધની કોઈને કોઈ પણ પ્રકારની જાણ હોય તો મોબાઈલ નં. ૯૫૮૬૭ ૬૦૫૬૮ ઉપર જાણ કરવા માટે વૃદ્ધના પરિવારજનોએ અનુરોધ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ પ્રકાશનગરમાં મારામારીનો બનાવ બનેલ છે જેમાં ખેંગાર જીવાભાઇ પરમાર (૫૮) અને દેવશી મનજીભાઇ (૫૫) ને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા 






Latest News