મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો


SHARE











અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો યુવાન અણિયારી ચોકડી પાસેથી બાઇક લઈને મોરબી પરત આવી રહ્યો હતો ત્યારે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ આવેલ છે તેના ઉપરથી પસાર થતા સમયે રસ્તા વચ્ચે ખાડા આવતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ગઇકાલે રાત્રિનાં સમયે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ ઉપર પડેલા ખાડાએ આશા સ્પદ યુવાનનો ભોગ લીધેલ છે અને છાતીમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અકસ્માતના આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો નિલેષભાઈ થોભણભાઇ હમીરપરા (૪૨) અણિયારી ચોકડી પાસે વાહન મૂકવા માટે ગયો હતો અને ત્યાંથી વાહન મૂકીને પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે અક્સમાતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે એક નહીં પરંતુ અનેક વખત મોરબીના ગાળા ગામથી જેતપર તરફ જવા માટેના આ પુલને રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને બેજવાબદાર નેતાઓના કારણે આ પુલનું રીપેરીંગ કામ આજની તારીખે થયેલ નથી અને જર્જરીત પુલ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઈને અવરજવર કરતા હોય છે તે હકીકત છે દરમિયાન આજે આશાસ્પદ યુવાનનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યુ છે હજુ આગામી દિવસોમાં આવી જ રીતે કેટલા લોકોના મૃત્યુ નિપજે તેની રાહ તંત્ર દ્વારા જોવાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે






Latest News