મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં રહેતા યુવાનના ભાઈ, કાકા અને કાકાના દીકરાની સાથે ત્યાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને યુવાન વચ્ચે પડ્યો હતો ત્યારે યુવાનને ગાળો આપીને ઢીકા પાટીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં અબ્દુલભાઈ ની પાનની દુકાન પાસે ફરિયાદી એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૧૮) ને રાજુભાઈ વસતાભાઈ પરમાર, અર્જુન રાજુભાઈ પરમાર અને ક્રિષ્ના રાજુભાઈ પરમાર દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા એગરાજભાઈ પરમાર દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓ તેના કાકાના દીકરા સોહન, તેના ભાઈ યુવરાજ અને કાકા પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર સાથે ઝઘડો કરતા હતા જેને છોડાવવા માટે થઈને તે વચ્ચે પડ્યો હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News