તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા


SHARE











રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ નવરાત્રી મહોત્સવોમાં ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા

નવરાત્રિના પર્વ નિમિત્તે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ) રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા બુધવારે “માઁ નવરાત્રી” મહોત્સવ, “શક્તિધામ નવરાત્રી” મહોત્સવ, "ઉમિયા નવરાત્રી" મહોત્સવ, “સંકલ્પ નવરાત્રી” મહોત્સવ અને “પાટીદાર નવરાત્રી” મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની સુપ્રસિદ્ધ ઉમિયા નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી મેરજા દ્વારા માતાજીની આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આ વેળાએ આયોજક અને અગ્રણી અનીલભાઇ વરમોરાના હસ્તે મંત્રી બ્રીજેશ મેરજાનું સન્માન કરાયુ હતુ.તે ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવની પણ બ્રીજેશભાઇએ મુલાકાત લીધી હતી જેના આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું.આ વેળાએ શૈલેષભાઇ રાવલ, શશાંકભાઇ દંગી, દુર્લભજીભાઇ દેથરીયા, હિરાભાઇ ટમારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા વગેરે જોડાયા હતા.બાદમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની મુલાકાત વેળાએ મંત્રી બ્રીજેશ મેરજાનું આયોજક અજયભાઇ લોરિયા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાકાંઠે માઁ નવરાત્રી મહોત્સવના આયોજનમાં સહભાગી થયેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાનું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આયોજક જયરાજસિંહ જાડેજા તેમજ તેમના ભાઇ મહાવીરસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ સુરેશભાઇ સીરોયા, મનુભાઇ બરાસરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News