મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે


SHARE







મોરબીમાં હિમેશ રેશમિયા-ખજૂરભાઈ રમઝટ બોલાવશે: ઠેરઠેર નાટક યોજાશે

મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું અજયભાઈ લોરીયા અને તેની ટીમે આયોજન કર્યું છે જેમાં ખેલૈયાઑ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તા. ૧ ઓક્ટોબરના રોજ હિમેશ રેશમિયા આવશે અને મોરબીના ખેલૈયાને મોજ કરાવશે

કૃષ્ણલીલાનું આયોજન

મોરબીની મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્કની સામે પ્રભુકૃપા રેસિડેન્સીમાં તા. ૩૦ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે કાનગોપી (કૃષ્ણલીલા)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલકી ગામનું કાન ગોપી ગ્રૂપ રમવા આવશે. જેથી કરીને લોકોને આવવા માટે નવદુર્ગા યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

ન્યુ ચંદ્રેશમાં નાટક યોજાશે

મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં તા. ૧ ઓક્ટોબરને શનિવારે છઠ્ઠા નોરતે નાટક “મચ્છુ તારા વહેતા પાણી”નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીનો ઇતિહાસ રજૂ કરાશે. આ ઉપરાંત હાસ્ય કોમિક માણકીની માથાકૂટ પણ રજૂ કરવામાં આવશે. જેથી લોકોને  તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે






Latest News