મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી ૭૫ લાખની છેતરપિંડી


SHARE











મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્રની ઓળખ આપીને બે શખ્સોએ કરી ૭૫ લાખની છેતરપિંડી

મોરબીમાં ભરડીયાના માલિકને વીવીઆઈપીઓના અંગત મિત્ર તેમજ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું ઓળખ આપીને બે શખ્સ મળ્યા હતા અને તે બંને મિકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના બે ડાયરેક્ટર છે અને આ બંને શખ્સ દ્વારા  ભરડિયાના માલિક સાથે ૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા ભરડીયાના માલિક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ અનુપમ કો-ઓપરેટીવ સોસાયટીના ઓમ એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ જમનાદાસભાઈ ઠક્કર જાતે લુવાણા (ઉમર ૫૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પંકજકુમાર ફકીરચંદ સોલંકી રહે. ૧૭-એ શિવાલિકા સોસાયટી કબીર એન્કલેવ પાસે ઘૂમા બોપલ રોડ અમદાવાદ તેમજ પ્રેમસાગર ફકીરચંદ સોલંકી રહે. ૧૪ અરુણોદયનગર સોસાયટી શિવાજી પાર્કની બાજુમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે સેજપુર બોધા અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓનો ટીંબડી ગામના પાટીયા પાસે નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટ નામનો ભરડીયો આવેલ છે ત્યાં આરોપી પંકજકુમાર ફકીરચંદ સોલંકી તેની પાસે આવેલ હતા અને તેણે રાજપૂત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ અને પરિચય આપ્યો હતો અને વીવીઆઈપીના અંગત મિત્ર હોવાનું અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વના કર્મચારી તેમજ વહીવટ કરતા હોવાનું જણાવીને ફરિયાદીની સાથે ઠગાઈ કરવાના ઇરાદે ફરિયાદીની જેઠવા સ્ટોન પ્રોડક્ટ નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને ૭૫ લાખ રૂપિયા આપેલ હતા જે પરત નહીં આપી તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા અનિલભાઈ ઠક્કર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૨૦(બી) ૪૦૬, ૪૧૯ અને ૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News