મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા


SHARE







માળીયા (મીં)ના વાંઢ વિસ્તારમાં માતા-પુત્રને છરીના ઘા ઝીકિને કૌટુંબિક ભત્રીજાના દીકરાએ કરી હત્યા

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા કોબા વાંઢ વિસ્તારની અંદર ભેસ ખેતરમાં આવીને પાકને નુકશાન કરતાં ભેંસ ચરાવવા બાબતે વચ્ચે બોલચલી થયેલ હતી જેમાં ઉશ્કેરાઈ ગયેલા ભત્રીજાના દીકરાએ ફરિયાદીની પત્ની અને દીકરાને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત થયા હતા જેથી કરીને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે હાલમાં પત્ની અને દીકરાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને માળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મીંયાણા તાલુકાના કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા યુસુફભાઈ મોવરના દીકરા શાહરૂખ મોવરે છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે ઝરીનાબેન ઇશાભાઈ મોવર (ઉમર ૪૫) અને તેના દીકરા હબીબ યુસુબભાઇ મોવર (ઉમર ૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા તે તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી તેના દીકરા હબીબ મોવરે આરોપીને કહ્યું હતું કે, તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા હાલમાં માળીયા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News