મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબી-હળવદ ફોરલેનનું ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર: મોરબી-જેતપર રોડને ટુંક સમયમાં મળશે મંજૂરી: બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબી-હળવદ ફોરલેનનું ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર: મોરબી-જેતપર રોડને ટુંક સમયમાં મળશે મંજૂરી: બ્રિજેશભાઇ મેરજા

મોરબી જિલ્લાના મોરબી-હળવદ તેમજ મોરબીથી જેતપર થઈને અણિયારી સુધીના રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બજેટમાં ૩૦૯ કરોડ મંજૂર કરાવ્યા છે અને તે અંતર્ગત સતત ફોલોઅપ અને સખત મહેનત કરી હતી જેથી કરીને આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા છે અને મોરબી-હળવદ ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ મળનાર છે.

એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે બે કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી છે આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશભાઇ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે. હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુરંત જ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશભાઇ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે






Latest News