વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સાથે થોડા સમય પહેલા કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખની લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ થોડા દિવસો પહેલા  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈઅજયભાઈગૌતમભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નં. જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નં. જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી સહિતનાને માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણાપારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા અમિત કુબેર મકવાણા (૩૦) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબી અને ભરત ઉર્ફે જેડી જગદીશ ચૌહાણ (૨૮) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબીની કલમ ૩૨૩૩૦૭૩૯૫ વિગેરે હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.






Latest News