મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી પાંચદ્વારકા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવતી આસો નદીના કાંઠે કોઈપણ કારણોસર ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા રાજીવભાઈ લેબેયાભાઇ બીરુવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે ઝારખંડથી ટ્રેનમાં આવેલ સોવનભાઈ લેબેયાભાઇ બીરુવા પોતાના વતનમાંથી ટ્રેનથી વાંકાનેર આવ્યા હતા ત્યારે ભૂલથી વાંકાને ઉતરવાના બદલે તે સિંધાવદરના રેલવે સ્ટેશનને ઉતર્યા હતા અને ત્યાં કોઈપણ કારણોસર તે સિંધાવદરથી પાંચદ્વારકા ગામ તરફ જવાના રસ્તે પટેલ પોર્ટ્રી ફાર્મ સામે આસો નદીના કાંઠે ગયા હતા અને ત્યારે તે કોઈપણ કારણોસર નદીમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચાર બોટલ દારૂ

હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ ખાતે ઇલિયાસભાઈ ગફુરભાઈ ભટ્ટીના મકાનની પાછળના ભાગમાં ખુલ્લી પડતર જમીનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૨૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ દારૂ અમીનભાઈ અનવરભાઈ મિયાણા રહે. ચરાડવા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News