મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સિંધાવદર પાસે આસો નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામથી પાંચદ્વારકા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવતી આસો નદીના કાંઠે કોઈપણ કારણોસર ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા રાજીવભાઈ લેબેયાભાઇ બીરુવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે ઝારખંડથી ટ્રેનમાં આવેલ સોવનભાઈ લેબેયાભાઇ બીરુવા પોતાના વતનમાંથી ટ્રેનથી વાંકાનેર આવ્યા હતા ત્યારે ભૂલથી વાંકાને ઉતરવાના બદલે તે સિંધાવદરના રેલવે સ્ટેશનને ઉતર્યા હતા અને ત્યાં કોઈપણ કારણોસર તે સિંધાવદરથી પાંચદ્વારકા ગામ તરફ જવાના રસ્તે પટેલ પોર્ટ્રી ફાર્મ સામે આસો નદીના કાંઠે ગયા હતા અને ત્યારે તે કોઈપણ કારણોસર નદીમાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચાર બોટલ દારૂ

હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ ખાતે ઇલિયાસભાઈ ગફુરભાઈ ભટ્ટીના મકાનની પાછળના ભાગમાં ખુલ્લી પડતર જમીનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૨૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આ દારૂ અમીનભાઈ અનવરભાઈ મિયાણા રહે. ચરાડવા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News