મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત


SHARE











મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત

મોરબીના માધાપર વિસ્તારની બાજુમાં આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખનાર આધેડે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને દુકાનમાં આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં રહેતા અને માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખીને ધંધો કરતા દીપકભાઈ મયુરભાઈ પોપટ (ઉંમર ૫૫) એ દુકાનની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળીને દીપકભાઈ પોપટે પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News