મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત


SHARE







મોરબીના અંબિકા રોડ ઉપર બીમારીથી કંટાળીને દુકાનમાં આધેડે કર્યો આપઘાત

મોરબીના માધાપર વિસ્તારની બાજુમાં આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખનાર આધેડે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને દુકાનમાં આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૧ માં રહેતા અને માધાપર પાસે આવેલ અંબિકા રોડ ઉપર દુકાન ભાડે રાખીને ધંધો કરતા દીપકભાઈ મયુરભાઈ પોપટ (ઉંમર ૫૫) એ દુકાનની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળીને દીપકભાઈ પોપટે પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News