મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર રસ્તો બંધ કરીને નમાજ પઢવાના ફોટો વિડિયો વાયરલ થવા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો


SHARE











આજરોજ મોરબી શહેરમાં વાઘપરા - કબીર ટેકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો હોવાના ફોટો અને વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ હતો જેની માહીતી મળતા તુર્તજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા હોવાનુ સામે આવેલ છે અને મજકુર દેખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનુ જણાય છે 

જેથી તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છેલ્લા આઠેક માસથી માનસીક રીતે પીડાય છે તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે અને આજરોજ ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવેલ છે . જેથી આજરોજ મોરબી શહેરમાં વાઘપરા રોડ પર કોઇ ઇસમે પત્થરાઓની આડશ કરી તે વ્યકિતએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે મજકુર ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી જાતે લોહાણા રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનીસિક બીમારીના કારણે આવી પ્રવુતી કરેલ છે જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે






Latest News