મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર રસ્તો બંધ કરીને નમાજ પઢવાના ફોટો વિડિયો વાયરલ થવા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો


SHARE











આજરોજ મોરબી શહેરમાં વાઘપરા - કબીર ટેકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો હોવાના ફોટો અને વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ હતો જેની માહીતી મળતા તુર્તજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા હોવાનુ સામે આવેલ છે અને મજકુર દેખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનુ જણાય છે 

જેથી તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છેલ્લા આઠેક માસથી માનસીક રીતે પીડાય છે તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે અને આજરોજ ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવેલ છે . જેથી આજરોજ મોરબી શહેરમાં વાઘપરા રોડ પર કોઇ ઇસમે પત્થરાઓની આડશ કરી તે વ્યકિતએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે મજકુર ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી જાતે લોહાણા રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનીસિક બીમારીના કારણે આવી પ્રવુતી કરેલ છે જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે






Latest News