મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે


SHARE









મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે

મોરબીમાં આગામી તા ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિતે જુદાજુદા સ્થળ ઉપર મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે કટિબદ્ધ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનના જન્મ દિવસથી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે અને વડાપ્રધાનના દીર્ઘાયુ જીવન માટે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલના ઉપક્રમે ૧૩ વર્ષથી ૨૦ વર્ષ સુધીની દીકરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પટેલ કન્યા છાત્રાલય (ઇન્ચાર્જ સંગીતાબેન ભીમાણી અને ભાવેશભાઈ કણઝારીયા), ઉમા હોલ, બહુચરાજીના મંદિર સામે રવાપર (ઇન્ચાર્જ અરવિંદભાઈ વાંસદડિયા અને રમાબેન ગડારા), ઓરપેટ કન્યા છાત્રાલય ટંકારા (ઇન્ચાર્જ કિરીટભાઈ અંદરપા), વાંકાનેર સરકારી હોસ્પિટલ (ઇન્ચાર્જ પ્રજ્ઞાબા ઝાલા અને ઋષિરાજસિંહ ઝાલા) અને કન્યા છાત્રાલય સથવારા સમાજ, વૈજનાથ મહાદેવ મંદિર પાસે હળવદ (ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી અને જશુબેન પટેલ) ઉપરોક્ત કેમ્પનો લાભ લેવા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડીએ લોકોને અનુરોધ કરેલ છે






Latest News