ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા


SHARE











મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલે તા.૧૧ ના સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રા યોજવાની છે જેનું વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા સ્વાગત કરાશે.બાદમાં ભાઇશ્રીના હસ્તે પ્રેસમિડીયાના મિત્રો તેમજ તેમના પરીવારોનું સન્માન અને કોરોનામાં દિવંગત થયેલા મૃતકોના પરીવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે.તે પૂર્વે કથાની છેલ્લા ઘડીને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સાથે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, નીરજભાઈ ભટ્ટ, બચુભા રાણા, અમૃતિયા પરિવારના સભ્યો સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવેલ જેમા ખૂબ મોટી સંખ્યામાંએ મૃતકોના સ્વજનો આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ વાતાવરણ બન્યું હતુ.કથા સ્થળે ૫૦૦ થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે.પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.તેમ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.






Latest News