મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે
Breaking news
Morbi Today

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા


SHARE









મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલે તા.૧૧ ના સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રા યોજવાની છે જેનું વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા સ્વાગત કરાશે.બાદમાં ભાઇશ્રીના હસ્તે પ્રેસમિડીયાના મિત્રો તેમજ તેમના પરીવારોનું સન્માન અને કોરોનામાં દિવંગત થયેલા મૃતકોના પરીવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે.તે પૂર્વે કથાની છેલ્લા ઘડીને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સાથે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, નીરજભાઈ ભટ્ટ, બચુભા રાણા, અમૃતિયા પરિવારના સભ્યો સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવેલ જેમા ખૂબ મોટી સંખ્યામાંએ મૃતકોના સ્વજનો આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ વાતાવરણ બન્યું હતુ.કથા સ્થળે ૫૦૦ થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે.પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.તેમ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.






Latest News